ઝાલોર માં કાન્હેડ દેવ ચૌહાણ નું રાજ્ય હતું.. એ વખતે દિલ્હી ના બાદશાહ અલાઉદ્દીન ખિલજી હતો.. ઝાલોર અને દિલ્લી ના વચ્ચે દુશ્મનવટ હતી.. અને એકવાર અલાઉદ્દીન ખિલજી કોઈ કામ માટે કાન્હડદેવ ને દિલ્લી બોલાવે સે પણ કાન્હડદેવ જતા નથી પણ એમના દીકરા વીરમદેવ ચૌહાણ ને મોકલે સે.. આ બાજુ અલ્લાઉદિંન ખિલજી ને ફિરોઝ નામ ની દિકરી હોય સે અને વિરમદેવ ચૌહાણ દિલ્લી જાય સે એટલે એને વિરમદેવ ગમી જાય સે અને પોતાના પિતા અલ્લાઉદિંન ખિલજી ને કહે સે કે હું લગન કરું તો વિરમદેવ સાથે બાકી હું કુંવારી રહીશ.. અલાઉદ્દીન ક્રોધે ભરાય સે કે જાલોર રાજ્ય એ આપનું દુશ્મન સે અને મારી દીકરી ને જાલોર રાજ્ય ના રાજ કુંવર ને આપું?? એ ક્યારેય નહીં બને... પણ પસી ફિરોઝ હઠ પકડે સે અને ફિરોઝ ની માતા ના હોવાથી અલાઉદ્દીન પીગળે સે અને બીજા હોશિયાર સૈનિકો એ પણ કહ્યું કે મહારાજા આ તક જડપી લેવા જેવી સે.. આપણા દુશ્મન ને આપણે સગા બનાવી અને હંમેશા માટે ઝાલોર ને આપણું ગુલામ બનાવીશું. એટલે અલાઉદ્દીન તૈયાર થાય સે.. અને આ બાજુ. વીરમદેવ ચૌહાણ ને કહે સે કે ફિરોઝ સાથે લગ્ન કર.. પણ વિરમદેવ કહે સે હું આ નિર્યણ ના લહી શકું મારા પિતા અને કાકા બેઠા સે એમણે પુસવું...
તામ્રપત્રોની શોધ અને પૃષ્ઠભૂમિ તારીખ 05/11/2019 ના રોજ સોલંકી જનકસિંહ અને અન્ય મિત્રો (મંગલસિંહ, નિર્મલસિંહ અને લાલભા વાઘેલા) પાટણથી 34 કિમી દૂર રણછોડપુરા (તા. ઉંઝા, જિ. મહેસાણા) ગામે ગયા હતા . આ તામ્રપત્રો રણછોડપુરાના કરશનસિંહ ચૌહાણ અને શિવસિંહ ચૌહાણના ઘરેથી મળ્યા હતા . આ ચૌહાણ પરિવારના રાવજી ઝાલોર (રાજસ્થાન) થી આવે છે . આ ચારેય તામ્રપત્રો એક કડીથી જોડાયેલા છે અને તે ગુજરાતી ભાષામાં લખાયેલા છે . મુખ્ય વ્યક્તિ અને જવાબદારી તામ્રપત્રમાં મુખ્યત્વે ઠાકોર સાદુલજી (સાદુરજી) બાલકાજી નું વર્ણન છે, જેઓ કરશનસિંહ અને શિવસિંહની 7મી પેઢીના પૂર્વજ થાય છે . ઠાકોર સાદુલજી મહારાજા ખંડેરાવજીના સમયના અત્યંત બળવાન યોદ્ધા હતા . તેમને આસપાસના ગામોના રક્ષણની જવાબદારી સોંપવામાં આવી હતી, જેના બદલામાં તેઓ 'વોલગિરાસ' (રક્ષણ પેટે મળતું હક) અને જમીન મેળવતા હતા . સમયગાળો અને વ્યવસ્થા આ લેખમાં સંવત 1791 (ઈ.સ. 1735) થી સંવત 1857 (ઈ.સ. 1801) સુધીના 66 વર્ષોનો ઉલ્લેખ મળે છે . ગામો પાસેથી રકમ ઉઘરાવવાની જવાબદારી 2-3 પાટીદારો અથવા પટેલને સોંપવામાં આવી હતી . તામ્રપત્રોમાં ઉલ્લેખિત ગામો અને વિગતો: તામ્રપત્ર...
ખુબ સરસ
ReplyDeleteજય માતાજી