સોનગરા ચૌહાણ ના.. જાગીરદાર સાર્દુલજી ચૌહાણ..
તામ્રપત્રોની શોધ અને પૃષ્ઠભૂમિ તારીખ 05/11/2019 ના રોજ સોલંકી જનકસિંહ અને અન્ય મિત્રો (મંગલસિંહ, નિર્મલસિંહ અને લાલભા વાઘેલા) પાટણથી 34 કિમી દૂર રણછોડપુરા (તા. ઉંઝા, જિ. મહેસાણા) ગામે ગયા હતા . આ તામ્રપત્રો રણછોડપુરાના કરશનસિંહ ચૌહાણ અને શિવસિંહ ચૌહાણના ઘરેથી મળ્યા હતા . આ ચૌહાણ પરિવારના રાવજી ઝાલોર (રાજસ્થાન) થી આવે છે . આ ચારેય તામ્રપત્રો એક કડીથી જોડાયેલા છે અને તે ગુજરાતી ભાષામાં લખાયેલા છે . મુખ્ય વ્યક્તિ અને જવાબદારી તામ્રપત્રમાં મુખ્યત્વે ઠાકોર સાદુલજી (સાદુરજી) બાલકાજી નું વર્ણન છે, જેઓ કરશનસિંહ અને શિવસિંહની 7મી પેઢીના પૂર્વજ થાય છે . ઠાકોર સાદુલજી મહારાજા ખંડેરાવજીના સમયના અત્યંત બળવાન યોદ્ધા હતા . તેમને આસપાસના ગામોના રક્ષણની જવાબદારી સોંપવામાં આવી હતી, જેના બદલામાં તેઓ 'વોલગિરાસ' (રક્ષણ પેટે મળતું હક) અને જમીન મેળવતા હતા . સમયગાળો અને વ્યવસ્થા આ લેખમાં સંવત 1791 (ઈ.સ. 1735) થી સંવત 1857 (ઈ.સ. 1801) સુધીના 66 વર્ષોનો ઉલ્લેખ મળે છે . ગામો પાસેથી રકમ ઉઘરાવવાની જવાબદારી 2-3 પાટીદારો અથવા પટેલને સોંપવામાં આવી હતી . તામ્રપત્રોમાં ઉલ્લેખિત ગામો અને વિગતો: તામ્રપત્ર...