મુડેઠા ના રાઠોડ દરબારો અને ચોથબા ચૌહાણ...
ઝાલોર માં કાન્હેડ દેવ ચૌહાણ નું રાજ્ય હતું.. એ વખતે દિલ્હી ના બાદશાહ અલાઉદ્દીન ખિલજી હતો.. ઝાલોર અને દિલ્લી ના વચ્ચે દુશ્મનવટ હતી.. અને એકવાર અલાઉદ્દીન ખિલજી કોઈ કામ માટે કાન્હડદેવ ને દિલ્લી બોલાવે સે પણ કાન્હડદેવ જતા નથી પણ એમના દીકરા વીરમદેવ ચૌહાણ ને મોકલે સે.. આ બાજુ અલ્લાઉદિંન ખિલજી ને ફિરોઝ નામ ની દિકરી હોય સે અને વિરમદેવ ચૌહાણ દિલ્લી જાય સે એટલે એને વિરમદેવ ગમી જાય સે અને પોતાના પિતા અલ્લાઉદિંન ખિલજી ને કહે સે કે હું લગન કરું તો વિરમદેવ સાથે બાકી હું કુંવારી રહીશ.. અલાઉદ્દીન ક્રોધે ભરાય સે કે જાલોર રાજ્ય એ આપનું દુશ્મન સે અને મારી દીકરી ને જાલોર રાજ્ય ના રાજ કુંવર ને આપું?? એ ક્યારેય નહીં બને... પણ પસી ફિરોઝ હઠ પકડે સે અને ફિરોઝ ની માતા ના હોવાથી અલાઉદ્દીન પીગળે સે અને બીજા હોશિયાર સૈનિકો એ પણ કહ્યું કે મહારાજા આ તક જડપી લેવા જેવી સે.. આપણા દુશ્મન ને આપણે સગા બનાવી અને હંમેશા માટે ઝાલોર ને આપણું ગુલામ બનાવીશું. એટલે અલાઉદ્દીન તૈયાર થાય સે.. અને આ બાજુ. વીરમદેવ ચૌહાણ ને કહે સે કે ફિરોઝ સાથે લગ્ન કર.. પણ વિરમદેવ કહે સે હું આ નિર્યણ ના લહી શકું મારા પિતા અને કાકા બેઠા સે એમણે પુસવું...
Comments
Post a Comment